હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની નલિકાને શું કહેવામાં આવે છે.(MPHW RMC 01-11-2020)
( A ) ધમની
( B ) શિરા
( C ) કેશવાહિની
( D ) ફુપ્ફુસીય શિરા
જવાબ:-( A ) ધમની
■ વિસ્તૃત સમજૂતી:-
- રુધિરવાહિનીઓ (Blood Vessels):-
- સંરચના અને કાર્યોને અનુલક્ષીને રુધિરવાહિનીઓના ત્રણ પ્રકાર પડે છે
- (૧) ધમની
- (૨) શિરા
- (૩) રુધિરકેશિકાઓ અથવા કેશવાહિનીઓ
- હૃદયમાંથી રુધિરને અન્ય અંગો તરફ લઈ જતી રુધિરવાહિનીને “ધમની” કહે છે.
- જ્યારે અન્ય અંગો તરફથી રુધિરને હૃદય તરફ લાવતી રુધિરવાહિનીને “શિરા” કહે છે.
- હૃદયમાંથી નીકળતી મોટી ધમનીને “મહાધમની” કહે છે. તેની શાખાઓને ધમનીઓ કહે છે. તેની પણ ઉપશાખાઓને “ધમનિકા” કહે છે. તેની કેશવાહિનીઓ, શિરિકાની કેશવાહિનીઓ સાથે જાેડાયેલી હોય છે. શિરિકાઓ મળીને શિરાઓ બનાવે છે, જે મહા શિરાઓમાં રુધિર ઠાલવે છે. અંતે રુધિર જમણાં કર્ણકમાં આવે છે. ત્યાંથી હૃદયમાં ઠલવાય છે.
- રુધિર એ રુધિરવાહિનીઓ દ્વારા આખા શરીરમાં ચોક્કસ માર્ગે વહન પામે છે.
- હૃદય દ્વારા ધમનીઓમાં રુધિર ધકલેય છે, જે ઊંચા દબાણે હોય છે અને આથી જ ધમનીઓ જાડી સ્થિતિસ્થાપક દીવાલ ધરાવે છે.
- શિરાઓ શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર ગ્રહણ કરે છે અને હૃદયમાં પાછુ લઈ જાય છે. શિરાઓમાં રુધિર ઊંચા દબાણે હોતું નથી અને તેથી શિરાઓની દીવાલ પાતળી હોય છે. આમ, “ધમનીની દીવાલો શિરાઓની દીવાલો કરતાં જાડી હોય છે.”
- રુધિરનું પશ્વવહન અટકાવવા માટે માત્ર શિરાઓમાં જ વાલ્વ આવેલાં હોય છે, જેથી શિરાઓમાં રુધિર પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાછું વહી શકતું નથી.
- અંગો કે પેશીઓમાં પહોંચીને ધમનીઓ બધા જ સ્વતંત્ર કોષોમાં રુધિર લઈ જતી ખૂબ નાની વાહિનીઓમાં વિભાજન થાય છે, જે “રુધિરકેશિકાઓ” તરીકે ઓળખાય છે.
- કોષોમાં વિવિધ દ્રવ્યોની આપ-લે રુધિર કેશિકાઓ મારફતે થાય છે. તેમની દીવાલ ખૂબ પાતળી અને એક સ્તરની હોય છે. તેમનો વ્યાસ ૦.૦૦૧ મિમી જેટલા કદનો હોય છે. રુધિરકેશિકાઓ ફરીથી જાેડાઈને શિરાઓ બનાવે છે, જે મહાશિરામાં ખૂલે છે.
COMMENTS